શ્રુતિ સમજ

આતતાઇન

સ્મૃતિ શાસ્ત્ર આતતાઇનની વ્યાખ્યા આપે છે.

આતતાઇન એટલે આતંકવાદી.

છ પ્રકારના દુષ્કર્મો કરે એને આતતાઇન કહેવાય.

૧) અગ્નિદ: ઘરોમાં આગ લગાડે
ખરેખર આગ લગાડે અથવા બોલીને ઘર ભાંગી નાખે. સંબંધોમાં આગ લગાડે.

૨) ગરદ: કોઈને ઝેર આપે કે કોઈના જીવનમાં ઝેર રેડે

૩) શસ્ત્રપાણી: શસ્ત્ર સાથે રાખીને બીજાનો છેદ કરે.

૪) ધનાપ: બીજાનું ધન લૂંટી લે અથવા અનીતિથી ધન કમાય તે

૫) ક્ષેત્રધરા અપહારી: કોઈની જમીન ઘર પડાવી લે.

૬) કોઈ સ્ત્રીનું હરણ કરી લે સ્ત્રીની ઈચ્છા વિરુધ્ધ

Scroll to Top