અંધ વ્યક્તિની વાત
એક અંધ વ્યક્તિ રસ્તાની એક બાજુ ઊભો હતો
ત્યાં થોડો ખળભળાટ થયો
એને એમ લાગ્યું કે કોઈ પાસે આવ્યુ એમને કહ્યું કે સામે કિનારે જવું છે
તો એ વ્યક્તિનો હાથ પકડી સામે બેય જણા જતા રહ્યા
સામે ગયા પછી પહેલી વ્યક્તિ બીજા વ્યક્તિનો ઉપકાર માનવા મંડ્યો કે આપ આવ્યા તો મને રસ્તો પાર થઈ ગયો હું સામે કિનારે પહોંચી ગયો
ત્યારે બીજી વ્યક્તિ પણ પેલા વ્યક્તિનો ઉપકાર માનવા લાગ્યો કે તમે આવ્યા તો હુ સામે કિનારે પહોંચી ગયો
પહેલી વ્યક્તિ બીજી વ્યક્તિને પૂછ્યું કે હું તો અંધ છું આપ કેમ આવું મને કહો છો?
ત્યારે બીજી એ વ્યક્તિ એ કહ્યું કે હું પણ અંધ છું મને એમ કે તમે મને સામે ઉતાર્યો.
આપણું પણ કંઈક આવું જ છે આપણે જેને પાર ઉતારનાર માનીએ છીએ એ પણ કંઈક આવી જ વ્યક્તિ છે
ભગવાન જાણે પાર ઉતર્યા કે પાછા ભવસાગરમાં આવી ગયા
એ તો કોઈ પરમ સંત હાથ ઝાલી લે તો સંસાર સાગર પાર થઈ જાય
Manish 20.12.2025
કિચુડ કિચુડ તો ચાલુ રહેવાનું (ઘોડેસવારની વાત)
એક ખેડૂત ખેતરના કુવા ઉપર કોશ ચલાવી ખેતરને પાણી પાઈ રહ્યો હતો
એ વખતે કોઈ એક ઘોડે સવાર ઘોડો લઈને ત્યાં આવ્યો અને કહ્યું “ભાઈ ખેડૂત થઈ મારે મારા ઘોડાને પાણી પીવડાવવું છે”
ખેડૂતે કહ્યું “હા, જરૂરથી પીવડાવો”
હવે કોશમાં પાણી ભરાય, ઉપર આવે અને થાળામાં પાણી ઠલવાય ત્યારે ઘોડો અંદર મોઢુ નાખવા જાય.
જેવો ઘોડો મોઢું નાખવા જાય એવો બીજો કોશ ભરાઈ આવે અને થાળામાં ઠલવાય,
એ પાણી ભરવા જતો હોય એનો અવાજ કિચુડ કિચુડ થાય અને ઘોડો ભડકે અને પાછો આવતો રહે
એટલે ઘોડે સવારે કહ્યું કે ભાઈ તારો કોશ થોડીવાર બંધ રાખ તો મારો ઘોડો પાણી પી શકે છે.
કોશના આ કિચુડ કિચુડ અવાજથી મારો ઘોડો ભડકી અને પાછો આવી જાય છે, પાણી પી શકતો નથી.
ખેડૂત કહે ભાઈ તારે પાણી પીવડાવવું હોય તો આ કિચૂડ કિચુડ અવાજમાં જ પીવડાવવું પડે,
કારણ કે જેવો કોશ બંધ કરીશ તેવુ થાળામાંથી પાણી ક્યારામાં વહી જશે અને ઘોડાને પીવા માટે કશું નહી વધે.
જીવનમાં પણ કિચુડ કિચુડ રહેવાનું એની વચ્ચે ભગવાન સ્મરણ કરી લેવાનું છે
Manish 20.12.2025
મહામૂર્ખની વાત
એક રાજાને વિચાર આવ્યો કે મારા દરબારમાં દરેક ક્ષેત્રના શ્રેષ્ઠ માણસોનું એક એક આસન છે, કોઈ સાહિત્યમાં શ્રેષ્ઠ છે કોઈ સારો કવિ છે… તો કેમ એક શ્રેષ્ઠ મૂર્ખ માટે પણ એક આસન ના બનાવીએ…??
એણે પોતાના અંગત સચિવને કહ્યું કે રાજ્યમાંથી જે સૌથી મૂરખમાં મૂરખ હોય એવો માણસ શોધી લાવો. આપણે એનું પણ આસન આપણા દરબારમાં રાખીએ.
મુખ્ય સચિવ આવો એક માણસ શોધી લાવ્યો , રાજાએ બરાબર ચકાસ્યો કે હા આનાથી વધારે કોઈ મૂરખ માણસ આપણા રાજ્યમાં નથી..
એનો પદવીદાન સમારંભ યોજાયો એના માટે એક પાટિયું તૈયાર કર્યું જેના પર લખાવ્યું મૂર્ખ શિરોમણી…!! અને એના ગળામાં પહેરાવ્યું અને મહા મૂરખ તરીકેનો અને એને રાજ્યસભામાં આશાન આપ્યું.. મૂરખ માણસે પૂછ્યું કે આ પાટિયું મારે કેટલા ટાઈમ સુધી ગળામાં રાખવાનું ? તો રાજાએ કીધું એ તો તમારાથી મોટો મૂરખ મળે એટલે પાટિયું એને પહેરાવીશું.. અને તમારી પદવી એને આપીશું .
આમ કરતા કરતા દિવસો વીતવા લાગ્યા અને તે રાજા બીમાર પડ્યો.. રાજા ને હવે સ્વધામ જવાની દિવસો ગણાઈ રહ્યા હતા બધા રાજાને મળવા આવતા હતા
બધા મળવા આવતા હતા એટલે ઓલા મૂરખને થયું કે હવે નક્કી રાજાનો કંઈક પ્રસંગ લાગે છે.. એટલે એણે રાજા ને પૂછ્યું કે આ બધા કેમ મળવા આવે છે? તો રાજાએ કહ્યું કે મારે હવે એક યાત્રાએ જવાનું છે એટલે આ બધા મને ભેગા થવા આવે છે. મૂર્ખે પૂછ્યું કે તમારી યાત્રાએ જવાનું છે તો ક્યારે પાછા આવવાના છો? રાજા એ કહ્યું યાત્રા બહુ લાંબી છે હવે ત્યાંથી હું પાછો આવવાનો નથી..
મૂરખ માટે આ નવાઈની વાત હતી, કારણ એને મૃત્યુની તો ખબર જ નહોતી.
એણે પૂછ્યું કે તો તો આટલી લાંબી યાત્રા હોય તો રાજ્યની પ્રજા આપની સાથે આવશે ને..?? રાજાએ કહ્યું ના ત્યાં એ બધા સાથે ના આવે. મૂર્ખે કહ્યું દરબારીઓ તો સાથે આવશે ને ?રાજાએ કહ્યું ના દરબારીઓ પણ યાત્રામાં સાથે ના આવી શકે. તમારા રાણી સાયબા તો આવશે ને તમારી ખબર રાખવા. રાજા કહે રાણી સાહેબ પણ સાથે ના આવી શકે.
તો તો તમારે એકલા જવાનું હોય તો ઘણા ટાઈમથી તૈયારી તમે કરતા હશો ને, આપ ત્રણ ચાર દિવસ બહાર જાવ તોય ગાડા ભરીને સામાન સાથે લઈ જાઓ છો અને ઘણા ટાઈમથી તૈયારી કરો છો. અહીં તો તમારે એકલું જવાનું છે તો તમે તૈયારી તો કરી હશે ને ઘણા ટાઈમથી… રાજા કહે ના કોઈ પણ પ્રકારની તૈયારી કરી નથી
મૂર્ખે પોતાના ગળાનું પાટિયું કાઢી રાજાના ગળામાં પહેરાવી દીધું કે મહામૂર્ખ તો આપ છો
-Manish 08.02.2026