અધ્યાય ૧

(કોઇ પણ શ્લોક નો વિસ્તાર કરવા શ્લોક પર ક્લિક કરો)

સંજય ઉવાચ ।

એવમુક્તો હૃષીકેશો ગુડાકેશેન ભારત । સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્ ॥૨૪॥

સંજય બોલ્યા: હે ભારત (ધૃતરાષ્ટ્ર)! અર્જુન (ગુડાકેશ – નિદ્રાને જીતનાર) દ્વારા આ પ્રમાણે કહેવાયા પછી,
ભગવાન શ્રીકૃષ્ણે (હૃષીકેશ) તે ઉત્તમ રથને બંને સેનાઓની મધ્યમાં સ્થાપિત કર્યો.

ઋષિકેશ એટલે ભગવાન શ્રીકૃષ્ણ
ઋષિકેશ એટલે વાળ જેમના ટૂંકા છે તે
ઋષિકેશ એટલે ઋષિકાનમ ઇસઃ જે ઇન્દ્રિયોના સ્વામી છે
એક અર્થ જે ઇન્દ્રિયોના સ્વામી છે
બીજો અર્થ ઈન્દ્રિયો જેમને કાબુમાં છે તે

અહીં સંજય કહેવા માંગે છે કે ઇન્દ્રિય અને મન જેની કાબુમાં છે તેના માટે જ સફળતા શક્ય છે

ગુડાકેશ નો અર્થ : જેના વાળ લાંબા છે અને અંબોડો વાળી લીધો છે તે અર્જુન
બીજો અર્થ ગુડાકા ઇશ: એટલે રાત્રિનો સ્વામી

એમાં પણ એક સરસ પ્રસંગ છે

ગુરુ દ્રોણે કૃપીને કહેલું અર્જુન જ્યારે જમતો હોય ત્યારે રાત્રે દીવો ઓલવાઈ જવો ન જોઈએ,
એક વખત એવું બન્યું ગુરુ દ્રોણ કોઈ કામથી બહાર ગયેલા અને આવ્યા ત્યારે અંધારામાં તીર ચલાવવાનો અવાજ એમને સંભળાવવા માંડ્યો,
એ તરત કૃપી પાસે ગયા અને કહ્યું કે આજે અર્જુન જમતો હતો ત્યારે દીવો ઓલવાઈ ગયેલો ? કૃપિ કહે હા પણ તમને કેવી રીતે ખબર પડી!?
ગુરુ દ્રોણે એવું કહ્યું કે બસ મને આ જ વાતનો ડર હતો કે
ક્યારેક અર્જુન જમવા બેઠેલો હોય અને દીવો ઓલવાઈ જાય ત્યારે અર્જુનને વિચાર આવશે કે જો અંધારામાં હું જમી શકું છું,
કોડિયો મારા મુખમાં પહોંચી શકે છે, તો અંધારામાં તીર કેમ ના સાધી શકું?
એવું જ બન્યું એ જ સમયે એણે બાણ અને તીર લઈ અને અંધારામાં તીર થી નિશાન સાધવાનો અભ્યાસ કરવા માંડ્યો
અને એ જ વખતે ગુરુ દ્રોણ આવી ગયા અને એમને ખ્યાલ આવી ગયો કે અર્જુનને જમતા દીવો ઓલવાઈ ગયો છે
અને હવે એ ગૂડાકા ઇસ થઈ થઈ ગયો છે, ગુડાકા ઇસ એટલે રાત્રિનો સ્વામી
અર્જુન રાત્રે પણ યુદ્ધ કરી શકતો હતો, સાંભળીને પણ યુદ્ધ કરી શકતો હતો

અહી ત્રીજો વ્યક્તિવાચક શબ્દ ભારત છે.
ભારત એટલે અહીં ધૃતરાષ્ટ્ર પણ,
ભારત એટલે ભા: રત જ્ઞાનમાં રહેલો

અહીં સંજય કહેવા માંગે છે તમે ખૂબ જ્ઞાની છો અમને એ જાણે જ હોવી જોઈએ કે અહીં ભગવાન કોણ છે અને અર્જુન કોણ છે?

એમની સામે તમારો પુત્ર ધર્મ કરીને ઉભો છે, છતાં તમને એમ લાગે છે કે જીતવાનો છે. હજુ પણ સમય છે મહારાજ યુદ્ધ પાછું ખેંચવાનો.

હવે અર્જુનને કહેલું કે સેનર્યો ઉભયો મધ્યે
બંને સેનાની વચ્ચે રથ ઉપર રાખો, અહીં એક બાજુ સાત અક્ષોહીની સેના છે બીજી બાજુ અગિયાર અક્ષોહિની સેના છે
ભગવાન ગમે ત્યા રથ બે સેનાની વચ્ચે ઊભા રાખી શક્યા હોત, દુર્યોધન દુષાસનની સામે કદાચ, પણ ભગવાન સ્ટ્રેટેજી એક્સપર્ટ છે

મનિષ ગનાત્રા ૧૫.૦૫.૨૦૨૫

ભીષ્મદ્રોણપ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ્। ઉવાચ પાર્થ પશ્યૈતાં સમવેતાન્કુરૂનિતિ॥ ૨૫॥

(શ્રીકૃષ્ણે) ભીષ્મ અને દ્રોણાચાર્ય વગેરે બધા રાજાઓ સામે ઊભા રહીને કહ્યું: “હે પાર્થ! (અર્જુન) એ લોકો જોઈને તું વિચાર કર કે ક્યાં કેટલાં કૌરવો એકઠા થયા છે.”

અહીં ભગવાને રથ ભીષ્મ અને દ્રોણની સામે ઊભો રાખ્યો છે અહીં ભગવાન સ્ટ્રેટેજી વાપરે છે.
અર્જુનને જેના પર અત્યંતિક પ્રેમ છે એવો વ્યક્તિઓની સામે જ રથ ઉભો રાખીને એમ કહે છે
જો આ મહારથીઓને, એટલે એમ કહેવાય કે 25મો શ્લોક એ ભાગવત ગીતા નું બીજ છે
કારણ કે ભગવાને આવું ના કર્યું હોત તો આપણને ભગવદગીતા ન મળી હોત.
શંકરાચાર્યજી કહે છે બે ધર્મો છે :પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ
જ્યારે આ બંને ધર્મો વચ્ચે ઇનબેલેન્સ થાય ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે.
જ્યારે કર્મને બહુ જ પ્રાધાન્ય આપવા મંડ્યા અને વિચારના સ્તર પર કશું જોવામાં નહોતું આવતું ત્યારે ભગવાને અવતાર ધારણ કર્યો છે

ભગવાને અત્યાર સુધી કર્મના સ્તર પર ધર્મ સ્થાપવાની કોશિશ કરી છે.
જ્ઞાનના એટલે કે વિચારના સ્તર પર પણ ધર્મ સ્થાપવાનો આ સરસ મોકો છે એમ ભગવાન માને છે.
એટલે અહીં ભીષ્મ અને દ્રોણની સામે રથ ઉભો રાખ્યો છે

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે
એટલે ધર્મનું જ્ઞાન ખાલી પૂરતું નથી પણ એ કાર્યાન્વિત થાય એ જરૂરી છે

કર્મના સ્તર પર કેટલો ધર્મ છે એ જરૂરી છે, પણ જ્ઞાનના સ્તર પર પણ ધર્મ હોવો જોઈએ એ પણ જરૂરી છે.
એટલે આ સરસ મોકો છે. અહીં જોઈએ તો યુદ્ધમાં અર્જુનના મનમાં આ વિચાર ક્યાંથી આવ્યો?
આવો કોઈ રિવાજ નહોતો કે યુદ્ધ પહેલા રણભૂમિમાં બંને સેમના સામે હોય ત્યારે નિરીક્ષણ કરવાનો કોઈ રિવાજ નહોતો,
તો અર્જુનના મનમાં આ વિચાર ક્યાંથી આવ્યો? આ એક નિમિત માત્ર છે જેને ઈશ્વર ઈચ્છા કહી શકાય

પછી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે જો પાર્થ આ લોકો છે જેની સામે તારે યુદ્ધ કરવાનું છે.
શું પાર્થ જોતો નહોતો? પણ અહીં ભગવાન ભારપૂર્વક બધાને બતાવે છે

પાર્થ પશ્યૈતાં સમવેતાન્કુરૂનિતિ

એક વાત અવશ્ય નોધીશું ભગવાન પ્રથમ અધ્યાયમાં માત્ર એક જ વાક્ય બોલે છે
અને એ ઉપર મુજબનું અને એ ભગવદગીતા નું બીજ છે

તત્રાપશ્યત્ સ્થિતાન્ પાર્થઃ પિતૄનથ પિતામહાન્ । આચાર્યાન્ મામુલાન્ ભ્રાતૄન્ પુત્રાન્ પૌત્રાન્ સખીંસ્તથા II૨૬॥

ત્યારે અર્જુને બંને પક્ષોની સેના વચ્ચે પોતાના પિતા, પિતામહો, ગુરૂઓ, માતુલો (મામા), ભાઈઓ, પુત્રો, પૌત્રો અને મિત્રોને ઊભા જોયા.

પાર્થ તત્ર સ્થિતાંન અપશ્યાત
પાર્થ જોયું આ લોકો હતા

પિતૃન પિતા સમાન અહીં અર્જુનને સાત પેઢી હતી ઉપરની ત્રણ પેઢી અને નીચેની ત્રણ પેઢી
આચાર્યન દ્રોણાચાર્ય કૃપાચાર્ય વગેરે

માતૃલાન મામા અને મોસાળ પક્ષ

ભાતૃન ભાઈઓ અને સમવયસ્ક બધા

પુત્રન
 પુત્રો

સખી મિત્રો

શ્વસુરાન દ્રુપદ મહારાજ

સુહૃદયેન હિતેચ્છુ ઓ

આ બધાને સેનયો ઉભયરોપી એટલે બંને સેનાની વચ્ચે જોયા

અર્જુન અહી શું જોવા ગયો હતો? શ્લોક નંબર 22 જોઈએ
યાવદ્ એતાન નિરીક્ષે અહમ્ યોધુ કામન અવસ્થી તાન II22II

અહીં અર્જુન કહે છે કે મારે એ લોકોને જોવા છે જે યુદ્ધ કરવાની ઈચ્છા થઈ આવ્યા છે . હવે એક વાત છે યુદ્ધ કરવાની ઈચ્છાથી કોણ આવે? યોદ્ધા

અને અર્જુનને જોયા કોને? સંબંધીઓને

અહીંથી બધી ગરબડ થઈ છે જોવાના હતા બધાને યોદ્ધા રૂપે અને અર્જુને જોયા સંબંધી રૂપે
અહીં અર્જુનની દ્રષ્ટિ ખોટી હતી
યોદ્ધાને યોગ્ય તરીકે ન જોઈને અને સગા વહાલા તરીકે જોઈએ તો તે દ્રષ્ટિમાં ભૂલ છે
અર્જુને બંને બાજુ સૈનિકો ના જોતા સંબંધીઓને જોયા. આવી દ્રષ્ટિ જો થઈ જાય તો ભાવના વધી જાય અને જ્ઞાન પાછળ જતું રહે
હું કોણ છું, એ કઈ જગ્યાએ છું એના પર આધાર છે. જો હું યોદ્ધા છું તો સામે બધા યોદ્ધા છે અને હું પરિવારનો સભ્ય છું તો સામે બધા સંબંધીઓ છે.
કઈ પરિસ્થિતિમાં કોણ છું એ સ્પષ્ટ થઈ જાય તો બધી જ ગરબડ મટી જાય અહીં અર્જુન પોતાને યોદ્ધા તરીકે જોતો જ નથી

ગીતાનો મૂળભૂત પ્રશ્ન હું કોણ છું Who am I

અહીંથી ગીતા ઉદ્ભવ થાય છે

તાન્ સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન્ બન્ધૂનવસ્થિતાન્ l કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત્ II૨૭ll

આવા સર્વ બંધુઓને બંને સેનામાં ઊભેલા જોઈને કુંતીપુત્ર અર્જુને…
અત્યંત કરુણાથી વ્યાકુલ થઈ કહ્યું:

અહીં શ્લોકમાં શબ્દ આવ્યો કોન્તેય
અર્જુન પોતે કોન્તેય થઈને બધાને જુએ છે
એટલે કે પોતે કુંમતી પુત્ર છે અને આ બધા મારા સંબંધીઓ છે

કોન્તેય થઈને કોને જુએ છે
“સર્વાન્ બન્ધૂનવસ્થિતાન્”

કોને જોવા ગયો હતો???
“યોદ્ધુકામાનવસ્થિતાન્” (શ્લોક ૨૨)

એનાથી શું થયું?
“કૃપયા પરયાવિષ્ટો”

એના મનમાં અત્યંત દુઃખ થયું અહીં કૃપયા એટલે દૈન્ય ભાવ


અર્જુન ઉવાચ:

દૃષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ્ I સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ II ૨૮ II
વેથથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે I ગાણ્ડીવં સ્રંસતે હસ્તાત્ ત્વક્ ચૈવ પરિદહ્યતે II ૨૯ II
ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ I નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ॥ ॥ ૩૦ II

હે કૃષ્ણ

મારા સ્વજનો અહીં યુદ્ધ માટે ભેગા થયા છે. એવું નથી કે આ પહેલીવાર ભેગા થયા છે.
ઘણા પ્રસંગોમાં ભેગા થયા છે, પણ અત્યારે યુદ્ધ માટે ભેગા થયા છે
અર્જુનને ખબર નહોતી કે સ્વજનો જ આવવાના છે આ યુદ્ધમાં…!!!?
એને ખબર જ હતી પણ કલ્પના માત્રથી ખબર નથી પડતી.
જ્યારે સામે આવીને ઊભું રહે ત્યારે ખબર પડે છે કે આ શું થવા જઈ રહ્યું છે.
અહીં અર્જુનને શું થાય છે..?

સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ ॥ વેથથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ।

આખા શરીરે પરસેવો થઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ કે ગીતાજી ક્યારે ગવાણી હતી?
ડિસેમ્બર મહિનામાં-માગસર મહિનામાં, ત્યારે ઉત્તર ભારતમાં શિયાળો હોય છે.
આ બધું કહીને અર્જુન કહે છે મને નથી લાગતું કે હું યુદ્ધ માટે તૈયાર છું.
અર્જુનને યુદ્ધની કેટલી તૈયારી કરી હતી… આખી જિંદગી…!!
આ બધું કેમ થયું…?

દૃષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણ

સ્વજનને જોઈને. આપણે જાણીએ છીએ કે, આગળ પણ આજ સ્વજનો સામે ખૂબ જ યુદ્ધ જીતી ને આવ્યો હતો.
પણ એ વખતે એણે સ્વજનને સ્વજન નહીં પણ યોદ્ધા જોયા હતા.
અજ્ઞાતવાસમાં વિરાટ રાજા ની સાથે યુદ્ધ કરવા ગયેલા અર્જુન ત્યારે તેણે દુર્યોધન, ભીષ્મ બધાને હરાવેલા.
પણ એ સમયે તેની દૃષ્ટિમાં એ બધા યોદ્ધા જ હતા.
અહીં જોઈએ કે દ્રષ્ટિમાં ફેર થવાથી કર્મમાં કેટલો બધો ફરક આવી જાય છે.
શારીરિક સ્તર પર અર્જુન ભલે તૈયાર ના હોય, પણ અહીં તો માનસિક સ્તર પર પણ કમજોરી આવવા લાગી

નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ॥

Manish 18.01.2020

ન ચ શ્રેયોઽનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે । ન કાંક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યં સુખાનિ ચ ॥ ૩૧ II

અર્જુન એ યુવાન હતો યુદ્ધ વખતે.
ત્યારે યુવાનોને અપશુકનનો કહીએ તો પણ ન માને.
અહીં અર્જુન કહી રહ્યો હતો મને અપશુકન દેખાય છે અને અર્જુન પોતે સગુણ શાસ્ત્રનો કોઈ વિદ્વાન પણ નહોતો
અને હે કૃષ્ણ મને સગા સંબંધીઓને મારવુ યોગ્ય જણાતું નથી.
અહીં અર્જુન શું બોલી રહ્યો છે એ કૃષ્ણ ભગવાન જોઈ રહ્યા છે,
કારણ કે કૃષ્ણ ભગવાન જ્યારે શાંતિ દૂધ તરીકે જતા હતા ત્યારે અર્જુન એ જ રોકી રહ્યો હતો.
અહીં કૃષ્ણ ભગવાન હજુ પણ અર્જુનને બોલવા દે છે,
સારા ડોક્ટર હંમેશાં યોગીને બોલવા દે છે.
આ આખો અધ્યાય અર્જુન જ બોલ્યો છે. કૃષ્ણ ભગવાન માત્ર અડધી લીટી બોલ્યા છે

પાર્થ પશ્યૈતાં સમવેતાન્કુરૂનિતિ॥ ૨૫॥

અહીં કૃષ્ણ ભગવાન કોઈ હાવભાવ બતાવતા નથી, માત્ર અર્જુનનું સાંભળે છે.
અર્જુન ભગવાનને એમ કહે છે કે પોતાના સ્વજનોને મારવાથી કંઈ જ ભલું થવાનું નથી.
પછી અર્જુનને જાણે યાદ આવે છે કે હું કોને કહી રહ્યો છું..?
ભગવાને તો નાનપણની શરૂઆત જ પોતાના મામાને મારીને કરેલી.
આ વાત ભગવાન સમજશે નહીં.
અર્જુનને થયું કે, કદાચ ભગવાન એમ કહેવા માંગે છે કે
તું આ યુદ્ધ કરીશ તો તું વિજયી થઈશ અને તને રાજ્ય મળશે,
તને બધા જ સુખ મળશે ત્યારે અર્જુન કહે છે

ન કાંક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યં સુખાનિ ચII

કિં નો રાજ્યેન ગોવિન્દ કિં ભોગૈર્જીવિતેન વા ।

અહીં અર્જુન કહે છે, હે કૃષ્ણ મારે રાજ્ય નથી જોઈતું. મારે વિજય પણ નથી જોઈતો. આ દુર્યોધન પાસે રાજ્ય છે તો પણ યુદ્ધ ભૂમિમાં આવીને ઊભો છે. મારે કોઈ સુખ પણ નથી જોઈતું. રાજ્ય થી શું મળવાનું છે…? હે કૃષ્ણ, આ બધો ભોગવિલાસ છે, હે કૃષ્ણ ખાલી આ રાજ્ય અને ભોગ એજ જીવન છે …??

અહીં અર્જુનનો પ્રશ્ન એકદમ સાચો છે કે જીવનનું લક્ષ શું રાજ્ય અને ભોગવિલાશ જ છે…?? આપણે બધાએ આ વિચારવું જ જોઈએ પણ ક્યારે, યુદ્ધ ભૂમિમાં આવીને ઊભા રહીએ ત્યારે નહીં.

અર્જુન કહે છે જીવનમાં કોઈ સાર નથી, એટલે હું અત્યારે મરવા પણ તૈયાર છું. આપણે સમજવાનું છે કે ઘણીવાર આપણે પણ આ સ્થિતિમાં પહોંચી જઈએ છીએ. અર્જુનની અહીં દ્રષ્ટિ સાચી છે કે રાજ્ય એ જીવનનું લક્ષણ નથી પણ આ યુદ્ધનું લક્ષત્વ છે જ ને. ભગવાન કહે છે, રાજ્ય તારું લક્ષ નથી પણ યુદ્ધ એ તારો કર્તવ્ય કર્મ છે અને એ કર. કોણ કહે છે કે તું ભોગ ભોગવ. ભોગ માટે જ રાજ્ય છે જ નહીં, ધર્મની સ્થાપના માટે રાજ્ય છે.

અહીં અર્જુન લક્ષ ખોટું સમજીને બેઠો છે રાજ્ય એ યુદ્ધનું લક્ષ હોય કે ના હોય પણ જીવનનું લક્ષ શું છે એ જાણીને જીવન જીવવું જોઈએ. ભલે રાજ્ય ન જોઈતું હોય તો જીવન સમાપ્ત કરી દેવાનું? જમવું એ જીવનનું લક્ષ ક્યારેય ના હોય તો શું જમવાનું છોડી દેવાનું …!!! અહીં અર્જુનની આ સ્થિતિનું કારણ સામાજિક પરિસ્થિતિ પણ છે. આપણે ત્યાં કોઈ જે બધું છોડી દે તો ખૂબ મોટો માણસ કહેવાય એટલે છોડવાનો પણ એક આત્મશ્લાધા હોય છે .

ત્યાગ એટલે શું, ભગવાન છેલ્લે અઢારમાં અધ્યાયમાં કહેશે.

અહીં અર્જુન કહે છે હું રાજ્ય, સુખ વગેરેનો ત્યાગ કરી દઉં છું. ભગવાન કહે છે કે આ બધાનો ત્યાગ કર પણ યુદ્ધનો ત્યાગ શા માટે કરે છે..? જવાબદારીનો ત્યાગ કેમ કરે છે ..? ભોગ એ જીવનનું આયોજન નથી જ પણ કર્તવ્ય પાલન એ તો જરૂરી જ છે.

હજુ પણ ભગવાનના ચહેરા પર કોઈ હાવ ભાવ બદલાયા નહીં, ખાલી જોતા જ રહ્યા. હજુ પણ અર્જુન આગળ બોલે છે અર્જુન કહે છે અમારા જીત ની ખુશી આ યુદ્ધ પછી કોની સાથે માણીશું..

યેષામર્થે કાંક્ષિતં નો રાજ્યં ભોગાઃ સુખાનિ ચ I ત ઇમેઽવસ્થિતાઃ યુદ્ધે પ્રાણાંસ્ત્યક્ત્વા ધનાનિ ચ II ૩૨ ll

યેષામર્થે નો રાજ્યં કાંક્ષિતં
જેના માટે અમને રાજ્યની ઈચ્છા હતી…
અહીં ન: શબ્દ બહુવચન છે…!!
અત્યાર સુધી અર્જુન એક વચનમાં વાત કરતો હતો, હવે એ અમને શબ્દ પ્રયોગ કરવા લાગ્યો. અહીં એક પ્રશ્ન થાય કે અર્જુન તું બધા ભાઈઓને પૂછીને આવી વાત કરે છે???
જેના માટે અમને રાજ્યની ઈચ્છા હતી એ બધા અહીં જ ઊભા છે. સામાન્ય રીતે આપણે સફળ થઈએ તો પ્રથમ આપણા સ્વજનને જણાવીએ છીએ. કદાચ અર્જુન વિચારતો હશે કે ભગવાન એમ કહેવા માંગે છે કે અત્યાર સુધી તો તને ક્યારે આવું થયું નથી કોઈ યુદ્ધમાં…
પણ આ યુદ્ધમાં જેને અમારા વિજયના સમાચાર આપવાના છે એ અહીં યુદ્ધ કરવા ઊભા છે.
એટલે અર્જુનને થયું કે કોણ કોણ ઊભા છે એ કહી દઉં

આચાર્યાઃ પિતરઃ પુત્રાસ્તથૈવ ચ પિતામહાઃ ॥ માતુલાઃ શ્વશુરાઃ પૌત્રાઃ શ્યાલાઃ સંબંધિનસ્તથા । ૩૩

પહેલા તો સંજયે કહ્યું કે અર્જુને કોને કોને જોયા.
પણ અહીં અર્જુન તેના મુખે બોલે છે કે તેણે સંબંધીઓને જોયા.
અત્યાર સુધી અર્જુને ભગવાનને કહ્યું નહોતું કે એણે કોને કોને જોયા છે. એ અહીં કહે છે.
અહીં યુદ્ધ કર્યા પછી જે શાબાશી મળવાની છે એ તો હવે મળશે નહીં, એટલે યુદ્ધથી શું મળશે એ વિચારી અર્જુન યુદ્ધનું પ્રાયોજન કરે છે. ભવિષ્યમાં આ યુદ્ધ – કર્મનું ફળ શું મળવાનું છે એનો વિચાર કરીને અર્જુન અત્યારનો નિર્ણય કરી રહ્યો છે.
આપણે પણ ઘણીવાર આપણને ગમતી વસ્તુ મળવાની હોય તો જ અમુક કર્મ કરતા હોઈએ છીએ અને ગમતી વસ્તુ ન મળવાની હોય તો કર્મ કરતા નથી અને આ ગમતી વસ્તુનો નિર્ણય કોના પ્રમાણે થાય છે? મારા પ્રમાણે.
એક બીજી રીતે વિચારીએ એ સમયે યુદ્ધ ફક્ત ક્ષત્રિય જ કરતા હતા, એટલે બ્રાહ્મણ વૈષ્યો અને સુદ્રો યુદ્ધમાં હાજર નહોતા.
એટલે એવું નહોતું કે બધા જ મરી જવાના જ હતા અને સૈનિક તરીકે યુદ્ધ કરવા જનાર સૈનિક માત્ર પોતાના માટે યુદ્ધ નથી કરતો અન્ય પ્રજાની રક્ષા માટે પણ યુદ્ધ કરે છે, જે યુદ્ધમાં હાજર નથી. અહીં આવા અનેક પ્રશ્નો ઊઠે છે…
એટલે આ રીતે પણ અર્જુન ની દ્રષ્ટિ ખોટી છે.
બધા સંબંધીઓ અહીં ઊભા છે પણ કઈ રીતે ઊભા છે…??
અર્જુન અહીં કહે છે અહીં બધા ઊભા છે એ પ્રાણ અને ધન બધું જ ત્યાગ કરીને આવ્યા છે એટલે કે અહીં અર્જુનને માત્ર પોતાનો પરિવાર જ દેખાય છે, પ્રજા નજર સમક્ષ આવતી નથી.
હજુ પણ ભગવાન જોતા રહ્યા કોઈ પણ હાવ ભાવ બદલ્યા વગર.
આપણે આગળ જોઇએ તો દુર્યોધન પણ આવી જ મન: સ્થિતિમાં હતો, એ પણ બોલ બોલ કરતો હતો શરૂઆતમાં.
પણ સંજયે એની લાંબી વાત કરી નહીં એના બે કારણ છે. એક તો સંજયનું મન ક્યાં છે ?? અર્જુન અને કૃષ્ણ ભગવાન તરફ
બીજું ભગવાન ક્યાં છે?? ભગવાન અહીંયા છે…
કદાચ અર્જુનને એમ કે ભગવાન કદાચ એમ કહેવા માગતા હશે કે તું નહીં મારે તો એ લોકો તને મારી નાખશે કારણ કે તેઓ તો યુદ્ધ કરવા જ આવ્યા છે


(અહીં આપેલ શ્લોકનો વિચાર અને વિસ્તારએ મારી પોતાની અંગત માન્યતા પર આધારિત છે) – મનિષ ગણાત્રા

Scroll to Top