કઠોપનિષદમાં રહેલો પિંડદાન નો સંદર્ભ
મૃત્યુરૂવાચ્
યથા પુરસ્તામદ્વિતા પ્રતીત ઔદાલકિરાઋણીર્મતપ્રસૂસ્ટ l સુખ્રાત્રીશયીતા વીતમન્યુંરૂત્વા દ્દશિવાનમૃત્યુમુખા ત્પ્રમુકતમ ll૧૧ll (પ્રથમ અધ્યાય પ્રથમ વલ્લી)
કઠોપનિષદ ના પ્રથમ અધ્યાય પ્રથમ વલ્લી ના ૧૧ માં શ્લોક માં યમ રાજા વાજશ્ર્વ ને ઔદાલકી અને આરુણી આ બંને નામથી સંબોધિત કરે છે. એનો મતલબ એવો છે કે વાજશ્ર્વ એ ઉદાલક અને અરુણ બંને પિતાઓનો પિંડદાન ના અધિકારી છે, આવી વ્યક્તિને આપણા શાસ્ત્રમાં દ્વાયામુશ્યાયણ કહ્યા છે એમાના એક વાજશ્ર્વ હતા. આ બાબત એ સૂચવે છે કે પિંડદાન અત્યંત જરૂરી છે. પિંડદાન વિશે ભાગવત અને ભગવદગીતા તથા મહાભારતમાં પણ ઘણી જગ્યાએ ઉલ્લેખ છે જેની વાત બ્લોગમાં ફરી ક્યારેક કરીશું. આ બધા સંકલનો મૃત્યુ પછીના જીવન વિશે અને મૃત્યુ પછીની જીવની ગતિ વિશે શાસ્ત્રો શું કહે છે એના ઉપર પ્રકાશ પાડે છે